Monday, February 24, 2025
Wednesday, February 19, 2025
TET PML&FML UPDATE 2025 💫વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ + અન્ય માધ્યમ ) વર્ષ ૨૦૨૪ સામાન્ય ભરતી કામચલાઉ મેરીટયાદી COMING SOON *
20/02/2025 જાહેર થશે .વિદ્યાસહાયક ભરતી ૨૦૨૪ - (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ અને અન્ય માધ્યમ ) વર્ષ ૨૦૨૪ સામાન્ય ભરતી કામચલાઉ મેરીટયાદી
💥ખાસ અગત્યનુ💥
વિદ્યાસહાયક ભરતી ૨૦૨૪ (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ અને અન્ય માધ્યમ ) વર્ષ ૨૦૨૪ સામાન્ય ભરતી કામચલાઉ મેરીટયાદી*
*જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ + અન્ય માધ્યમ ) ની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા ૦૧/૧૧/૨૦૨૪ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત ક્રમાંક (3) (4) અને (૫) થી સામાન્ય ભરતી ની જગ્યા ભરવા જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઇન અરજીઓ માંગવામાં આવેલ હતી જેના અનુસંધાને ઉમેદવારોની કામચલાઉ મેરીટયાદી*
* http://vsb.dpegujarat.in વેબ સાઇટ ઉપર તા.- 20/02/2025ના રોજ બપોરે .03: 30 કલાકે પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. ઉમેદવાર સામાન્ય ના મેરીટ માટે સામાન્ય ભરતી ના લોગિન પર ક્લીક કરી તેમના અરજીપત્રક પર દર્શાવેલ TET પરીક્ષાનો નંબર અને વર્ષ, પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. મેરીટક્રમ જોવા માટે લોગિનમાં મુકેલ મેરીટની લીંક પર ક્લીક કરવાથી પોતાનો મેરીટક્રમ અને મેરીટ વેબસાઇટ ઉપર જોઇ શકશે. ત્યારબાદ વાંધા અરજી લખેલી લિંક પર ક્લીક કરવાથી ઉમેદવારના અરજીપત્રકની જરૂરી તમામ વિગત જોઈ શકાશે .
(૧) ઉમેદવારો તેઓના નામ લાયકાત, કેટેગરી અને મેરીટ ગુણ વગેરેમાં જો કોઇ ક્ષતિ હોય તો ઉપરોક્ત વેબ સાઇટ ઉપર તા. 20 /02/2025 થી તા.25/02/2925 દરમ્યાન તમામ ઉમેદવાર ઓન-લાઇન સુધારા પત્રક (વાંધા અરજી) ની પ્રિન્ટ મેળવી શકશે. આ સુધારા પત્રકમાં તમારી વિગત દર્શાવેલ છે તેમાં જો કોઇ સુધારો કરવાપાત્ર હોય તો જ સુધારા પત્રકમાં વિગત સુધારી જરૂરી આધારો સાથે વાંધા અરજી સ્વીકાર કેન્દ્ર પર તા.21/02/2025 થી તા.- 27/02/2025 (જાહેર રજા સિવાય) ના રોજ 11: 00 થી 18:00 કલાક સુધી આપવાની રહેશે.*
*સુધારા પત્રકમાં નવી વિગતો ઉમેરી શકાશે નહી.
(૨) જે વિગતોનો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવા જોડી સુધારા પત્રક (વાંધા અરજી) ઉમેદવાર પ્રથમ અરજીપત્રક સબમીટ કરાવેલ સ્વીકાર કેન્દ્ર ઉપર રૂબરૂ જઇને જમા કરાવી શકશે. સુધારામાં રજૂ કરેલ વિગતના અસલ પુરાવા (પ્રમાણપત્ર) સિવાય વાંધા અરજી કોઇ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહી તેની ખાસ નોંધ લેવી વાંધા અરજી અન્વયે કરેલ સુધારા જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો જ ક્ષા રાખી સુધારો કરવામાં આવશે
(૩) ફાઇનલ મેરીટયાદી અને મેરીટમાં આવતાં ઉમેદવારો માટે કોલ લેટર વિગેરે માટેની સુચનાઓવે પછી વેબ સાઇટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે. તેથી ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી નિયમિત http://vsb.dpegujarat.in વેબ સાઇટ જોતા રહેવું*